(અ)લોકશાહી પ્રજાસત્તાક ભારતના આવતીકાલના નાગરીકો આજથી જ તેમની પ્રવૃત્તિઓ સ્વયોજીત બનાવે તેમના હક્કો તથા ફરજો વિષે સભાન થાય એ હેતુથી દર વર્ષે વિદ્યાર્થી સમિતિની રચના કરવામાં આવે છે. તેનું બંધારણ ઘડી વિદ્યાર્થીઓ તે મુજબ કાર્ય કરે છે. સભ્યોની ચૂંટણી વર્ગવાર અને પ્રમુખ તથા મંત્રીની ચૂંટણી વર્ગમાંથી
શાળા જીવનના વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ તથા વિદ્યાભ્યાસમાં વિશેષ રસ અને રૂચિ જાગે વિશેષ શકિતઓને બહાર લાવવાની તમન્ના તેમના હદયમાં ઉઠે તેમને પ્રોત્સાહન મળે તેમની વચ્ચે તંદુરસ્ત,નિર્દોષ અને નિર્મળ સ્પર્ધાની ભાવના ખીલે એ ઉદેશથી વિદ્યાર્થીઓને શાળામાંથી ઈનામો શાળા મંડળ દ્રારા મળી રહે ત
વર્ષ દરમ્યાન ધોરણ ૮ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની શારિરીક તપાસ શાળા તરફથી કરવામાં આવે છે. અને તપાસમાં જણાતી ખામીઓ વાલીઓને ધ્યાન ઉપર લાવવામાં આવે છે. તથા આ અંગે વાલી યોગ્ય ડોકટરની સલાહ લે તેવી ભલામણ કરવામાં આવે છે.
જેવી કે મહેંદી હરીફાઈ,નાટક,એકપાત્રીય અભિનય,બાલોત્સવ,પતંગોત્સવ,વિશિષ્ટ દિનની ઉજવણી,ચિત્રકલા હરીફાઈ,દેશભકિત ગીત,લગ્નગીત,લોકગીત,વેશભૂષા,લોકવાર્તાનું આયોજન,પણ શાળા દ્રારા કરવામાં આવે છે.
(ય) વિદ્યાર્થીઓમાં શિક્ષણ રસ જાગે તથા શાળા સંચાલનની જવાબદારી નાના પાયા પર ઉઠાવી જાણે અને એ રીતે વહીવટી કુશળતા પ્રાપ્ત કરે તે હેતુથી વર્ષમાં એક દિવસ વિદ્યાર્થીઓ જાતે જ શાળાના આચાર્યશ્રી થી માંડી સેવક સુધીની ફરજો ઉત્સાહપુર્વક સંભાળે તે માટે સ્વશાશન દિન ઉજવવામાં આવે છે.
(ઈ) વિદ્યાર્થીઓમાં ભાષા અને સાહિત્ય પ્રત્યે અભિરૂચિ કેળવાય તથા તેમની સર્જન શકિત વિકસે તે હેતુથી વર્ગવાર હસ્તલેખિત અંકો બહાર પાડવામાં આવે છે. તદઉપરાંત વકતૃત્વ સ્પર્ધાઓ નિબંધ હરીફાઈઓ નાટક/નાટિકા યોજવામાં આવે છે. અને તેમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર તથા ઈનામ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા હંમેશા પ્રયત્નશીલ રહે છે શાળા-અભ્યાસના વર્ષો દરમ્યાન ભાવિ જીવનનું ભાથુ પ્રાપ્ત કરે અને તન મનથી તેઓ ઘડાય તે અર્થે શાળા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.